• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • આવી અદ્યતન સુવિધાથી સજ્જ હશે હિરાસર એરપોર્ટ ; રાજકોટવાસીઓને મળશે નવી ભેટ...

આવી અદ્યતન સુવિધાથી સજ્જ હશે હિરાસર એરપોર્ટ ; રાજકોટવાસીઓને મળશે નવી ભેટ...

10:00 AM July 07, 2023 admin Share on WhatsApp



રાજકોટવાસીઓને હવે નેશનલ અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ(National - International Flight) માટે અમદાવાદ કે મુંબઈ જવાની જરૂર નહીં પડે. કારણ કે, રાજકોટ (Rajkot)માં નવું હિરાસર એરપોર્ટ (Hirasar Airport) તૈયાર થઈ ગયું છે. જેનું ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi)ના હસ્તે ઉદ્ધાટન થવાની સંભાવના છે. જેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રાજકોટવાસીઓને હવે ટુંક સમયમાં જ નવા એરપોર્ટની ભેટ મળવા જઈ રહી છે. ત્યારે આ એરપોર્ટ શરૂ થાય તે પહેલા જ અનેક નવી ફ્લાઈટ પણ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટનું મોટા-ભાગનું કામ પૂરું થઈ ગયું છે. આગામી સમયમાં ગમે ત્યારે ઉદ્ઘાટનની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. રાજકોટનાં હિરાસર એરપોર્ટનું જુલાઈનાં અંત અથવા ઓગસ્ટની શરૂઆતમાં એરપોર્ટ શરૂ થઈ શકે છે. ત્યારે વડાપ્રધાન એરપોર્ટનું લોકાર્પણ કરી શકે છે. ટૂંક સમયમાં સત્તાવાર તારીખ જાહેર થાય તેવી શક્યતા છે. રાજકોટનું હિરાસર એરપોર્ટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ(Green Field Airport) બનશે. આ સાથે જ આ ગુજરાતનું સૌથી લાંબો રનવે (Longest Run Way In Gujarat) ધરાવતું એરપોર્ટ પણ બનશે. 

hirasar airport rajkot

► સૌથી લાંબો રનવે ધરાવતું એરપોર્ટ

એરપોર્ટના નિર્માણ સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ રાજકોટનું હિરાસર એરપોર્ટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ બનશે. એટલું જ નહીં આ ગુજરાતનું સૌથી લાંબો રનવે ધરાવતું એરપોર્ટ પણ બનશે. રાજકોટના આ એરપોર્ટના રનવેની કુલ લંબાઈ 3.4 કિમી છે. તે ગુજરાતમાં સૌથી લાંબો રનવે ધરાવતું એરપોર્ટ છે. આવી સ્થિતિમાં બોઈંગ 737 (737 Boing Airport) જેવા જમ્બો એરક્રાફ્ટ અહીં લેન્ડ થઈ શકશે અને તેઓ ટેક ઓફ કરી શકશે. અમદાવાદ એરપોર્ટ પર હાલમાં ગુજરાતમાં સૌથી વધુ એર ટ્રાફિક છે, જ્યારે સુરત અને વડોદરા એરપોર્ટ ટૂંકા રનવે ધરાવે છે.

► ડ્રેનેજ માટે રનવેની નીચે 700 મીટર લાંબી ટનલ

આ એરપોર્ટ પર ડ્રેનેજના સારા પગલાં લેવામાં આવ્યા છે. રનવેની નીચે એક ટનલ બનાવવામાં આવી છે જેથી પાણી ભરાઈ નજાય. આ ટનલ 700 મીટરની છે. જે એશિયાની સૌથી લાંબી એરપોર્ટ ટનલ છે. હિરાસર એરપોર્ટમાં ટર્મિનલ સ્થાનિક ચીજવસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે. આ સાથે જ ઉર્જાનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવામાં આવશે. હવાઈપટ્ટી, એક્ઝિટ ટેક્સી, ટ્રેક, પેસેન્જર ટર્મિનલ અને કાર્ગો ટર્મિનલ બિલ્ડિંગ અહિંયા ઉભા કરવામાં આવ્યાં છે. એરપોર્ટ પર રેઈન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમ, ગ્રીન બેલ્ટ તથા સોલાર પાવર સીસ્ટમ પણ લગાવવામાં આવી છે.

hirasar airport rajkot

► દિવસ અને રાત બંને સમયે ટેક ઓફ અને લેન્ડિંગ થશે

નવા હિરાસર ગ્રીન ફિલ્ડ એરપોર્ટ પર એરક્રાફ્ટના ટેક ઓફ અને લેન્ડિંગની ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થશે. આ ટેસ્ટિંગમાં એરક્રાફ્ટ દિવસ અને રાત બંને સમયે ટેક ઓફ અને લેન્ડ થશે. એરપોર્ટ પર સ્થાપિત સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ આગળની કાર્યવાહી શરૂ થશે. આમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ્સ, નેવિગેશન કંટ્રોલ સિસ્ટમ્સ, સિસ્ટમ કેલિબ્રેશનનું પરીક્ષણ શામેલ છે.

► એરપોર્ટના નિર્માણમાં 1405 કરોડનો ખર્ચ

આ એરપોર્ટ 1405 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે. આ એરપોર્ટ 1025. 54 હેક્ટરમાં બનાવવામાં આવ્યું છે. તેની પાસે 96.48 ટકા સરકારી જમીન છે. તો એરપોર્ટનો કુલ બિલ્ડઅપ એરિયા 23,000 ચોરસ કિલોમીટર છે. આ એરપોર્ટનો આગળનો ભાગ રાજકોટના રણજીત વિલાસ પેલેસના જેવો તૈયાર કરવામાં આવ્યો છે. આ એરપોર્ટ પર 14 મોટા એરક્રાફ્ટ પણ પાર્ક કરી શકાશે.

hirasar airport rajkot

અત્યંત મહત્વના અંગ એવા રન-વેને આંતરરાષ્ટ્રીય એરપોર્ટના માપદંડ પ્રમાણે તૈયાર કરવામાં આવ્યો છે કે કેમ? તે સહિતના ઈન્ફ્રાસ્ટ્રકચરનું ઈન્પેક્શન કરવા માટે દિલ્હીથી એક ટીમ રાજકોટ આવી પહોંચી છે.જે 2-3 દિવસ સુધી ચેકિંગ કરશે જે બાદ લાયસન્સ ઈશ્યુ કરવા અંગેના મહત્વપૂર્ણ નિર્ણયને જાહેર કરશે. હિરાસરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થતાંની સાથે જ જામનગર, જૂનાગઢ, ભાવનગર, કચ્છ, મોરબી અને રાજકોટ સહિતના લોકોને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે અમદાવાદ સુધી જવું પડતું હતું. તે નહીં જવું પડે. હવેથી રાજકોટવાસીઓ ઇન્ટરનેશનલ ફ્લાઇટથી હિરાસર એરપોર્ટ પરથી ઉડાન ભરી શકશે.

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Rajkot News

 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

શું લો બ્લડ પ્રેશર કોઈના મૃત્યુનું કારણ બની શકે? શેફાલી જરીવાલાને હતી આ તકલીફ

  • 30-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 1 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 30-06-2025
    • Gujju News Channel
  • આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે વરસાદની આગાહી, લોકોને સતર્ક રહેવા અપીલ
    • 29-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-06-2025
    • Gujju News Channel
  • અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે PM મોદીની ખાસ વાતચીત: કહ્યું, "અંતરિક્ષમાં ગાજરનો હલવો લઈ ગયા, તો તમારા સાથીઓને ખવડાવ્યો?"
    • 28-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ રથયાત્રામાં હાથી બેકાબૂ કેમ થયા? ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યા કારણ
    • 27-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-06-2025
    • Gujju News Channel
  • Puri Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ રથયાત્રા 12 દિવસનો ઉત્સવ, જાણો રુટ સહિત તમામ વિગત
    • 26-06-2025
    • Gujju News Channel
  • અષાઢી બીજનો દિવસ આપના માટે કેવો રહેશે ? જાણો આજનું રાશિ ભવિષ્ય | 27 જુન 2025 : Aaj Nu Rashifal
    • 26-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us